ચરખડિયા ગામ ખાતે સમસ્ત ગામ પરિવાર દ્વારા આયોજિત શાકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ તથા મહાઆરતી કરવાનો લાભ પ્રાપ્ત કર્યો તેમજ આ પ્રસંગે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજી ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ તકે પ.પૂ.લાલજી મહારાજજી, પૂ. ઘનશ્યામ કોઠારી સ્વામી, પૂ. એસ.પી.સ્વામી, પૂ. છપૈયા સ્વામી, પૂ. ભક્તિરામ બાપુ, સાંસદ શ્રી નારાણભાઇ કાછડીયા તેમજ સાધુ-સંતો, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા