સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા નિર્મિત થનાર તપોવન આશ્રમ નું શિલાન્યાસ પ. પૂ. મોરારી બાપુ ની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ (ભોજલ ધામ, ફતેપુર), શ્રી મહાવીર બાપુ (દાનેવ ધામ, ચલાલા), કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા અને તપોવન આશ્રમના પ્રણેતા શ્રી મુકેશભાઈ સંઘાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.